નગારિયો પથ્થર

નગાતીયો પથ્થર:- આપણે ત્યાં નોબત અર્થાત નગારાની

પરંપરા પ્રાચીન છે . તેના વિષેની કથા એવી છે કે દાતાર બાપુ પાસે સોનાનું

નગારૂ હતું . કેટલાક ચોરો તેને ચોરીને લઇ જતા હતા . ત્યારે દાતારબાપુની

દિવ્ય શક્તિથી તેઓ અંધ થઇ ગયા . દ્રષ્ટિહીન થઇ ગયેલા આ તસ્કરો

નગારાને ત્યાં જ મુકી ને ભાગી ગયા . દાતારબાપુએ નગારાને પથ્થરનું બનાવી

દીધું . જેથી ભવિષ્યમાં કોઇને તેની ચોરી કરવાની લાલચ ન થાય . આજે પણ

તેમાથી નગારાના જેવો ધ્વની ( અવાજ ) નીકળે છે . ભુસ્તરશાસ્ત્રના

અભ્યાસીઓ તેને પોલો પાણો તરીકે જણાવે છે . એક પથ્થરને હાથમાં લઇ

તેની ઉપર બીજો પથ્થર અથડાવતા તેમાંથી નગારા જેવો અવાજ આવે છે

11 Likes

કનેક્ટમાં આપનું સ્વાગત છે અને તમને મળીને આનંદ થયો! @Lalakiyavivek_9099

નગારિયા પથ્થરની રસપ્રદ વાત જાણી આનંદ થયો.

શું તમે અમને જણાવશો કે આ નગારિયો પથ્થર ક્યાં આવેલો છે?

જો કે તમે અહીં નવા હોવાથી, હું તમને શુભેચ્છા પાઠવવા માંગુ છું અને તમને ફોરમથી પરિચિત થવામાં મદદ કરવા માટે આ લેખની ભલામણ કરવા માંગુ છું. તમે અમારા માસિક વિભાગમાં તમારો પરિચય આપીને સમુદાયના અન્ય સભ્યોને પણ મળી શકો છો.

1 Like

જુનાગઢ દાતાર પર્વત :mount_fuji: માં નગારિયો પથ્થર આવેલ છે

@NareshDarji

ખૂબ ખૂબ આભાર. @Lalakiyavivek_9099

તમે અહીં કનેક્ટ પર મને કે કોઈ અન્ય વ્યક્તિને ટેગ કરવા માટે તે વ્યક્તિના નામની આગળ ‘@’ નો ઉપયોગ કરો. જેથી સામેની વ્યક્તિને નોટીફીકેશન મળશે અને તે તુરંત જવાબ આપશે.

1 Like